મનમોહન સિંહઃ ભારતના અપ્રતિમ નેતા અને અર્થશાસ્ત્રીનું અવસાન

 મનમોહન સિંહઃ ભારતના અપ્રતિમ નેતા અને અર્થશાસ્ત્રીનું અવસાન

26મી ડિસેમ્બર 2024એ, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાનશ્રી અને પ્રખર અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું. દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. એઈમ્સ દ્વારા નિવેદનમાં જણાવાયું કે વય અને તબીબી પરિસ્થિતિઓના કારણે તેમની તબિયત લથડી હતી.

રાજકીય અને આર્થિક યાત્રા

મનમોહન સિંહના જીવનમાં બે મુખ્ય પરિચયો હતા – એક અગ્રગણ્ય અર્થશાસ્ત્રી અને એક નિષ્ઠાવાન રાજકીય નેતા. 2004થી 2014 સુધી તેઓ ભારતના વડાપ્રધાન પદે કાર્યરત રહ્યા. 1991માં ભારતના નાણાં મંત્રી તરીકે ઉદારીકરણની નીતિઓ લાગુ કરીને તેમણે દેશના આર્થિક માળખાને નવી દિશા આપી.

પ્રારંભિક જીવન અને શિક્ષણ

ડૉ. મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ પંજાબમાં થયો હતો. તેમની પ્રારંભિક શિક્ષણ પંજાબ યુનિવર્સિટીમાં થયું અને તેઓએ બ્રિટનની કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1962માં ઓક્સફોર્ડથી ડી.ફિલ.ની પદવી મેળવી.

દેશની સેવા અને યોગદાન

1971: વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર

1972: નાણા મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર

1991-1996: નાણાં મંત્રી તરીકે ભારતના ઉદારીકરણના પાયો ઘડ્યો

2004-2014: વડાપ્રધાન તરીકે ભારતના વિકાસને પ્રોત્સાહન આપ્યું

વિશિષ્ટ પુરસ્કાર અને માન્યતાઓ

ડૉ. સિંહને પદ્મ વિભૂષણ (1987) અને ફાઇનાન્સ મિનિસ્ટર ઓફ ધ યર (1993-94) જેવા ઘણા પુરસ્કાર મળ્યા. તેઓના યોગદાનને માન્યતા આપવા કેમ્બ્રિજ અને ઓક્સફર્ડ સહિત અનેક યુનિવર્સિટીએ તેમને માનદ પદવીઓ એનાયત કરી.

મનમોહન સિંહ – નમ્રતા અને પ્રખરતા

મનમોહન સિંહની સિદ્ધિઓએ માત્ર આર્થિક ક્ષેત્રે જ નહીં, પણ રાજકીય અને વૈશ્વિક સ્તરે પણ ભારતનું પ્રતિનિધિત્વ મજબૂત કર્યું. તેમની નિમ્રતા અને નિષ્ઠા માટે ભારત હંમેશા તેમને યાદ કરશે.

"ભારત માટે તેમની સેવાનો વારસો યુગો સુધી જીવંત રહેશે."


SB KHERGAM

ASST.TEACHER SHAMALA FALIYA PRIMARY SCHOOL KHERGAM TA: KHERGAM D: NAVSARI

Post a Comment

Previous Post Next Post